Read Next
22 hours ago
होली पर्व को देखकर पुलिस ने किया पैदल गश्त
22 hours ago
ग्राम पंचायत बाउथ में सड़क सुरक्षा व सीपीआर प्रशिक्षण हेतु प्रार्थना-पत्र सौंपा गया।
22 hours ago
आर सेटी द्वारा लघु विधिक आयोजित साक्षरता शिविर में वितरित हुए प्रमाण पत्र*
4 days ago
अमेरिकी सुप्रीम कोर्ट ने ट्रम्प के टैरिफ रद्द किए
4 days ago
जमानियां स्टेशन बाजार में जाम से लोग परेशान, अतिक्रमण व अव्यवस्थित पार्किंग बनी वजह
6 days ago
*मनरेगा घोटाले में प्रशासनिक लापरवाही नहीं महोदय संरक्षण की साजिश है।*
7 days ago
*सांसद संगीता बलवंत ने मेगा ऋण शिविर में युवाओं को स्वरोजगार से जुड़ने की दी प्रेरणा*
7 days ago
वाराणसी-गाजीपुर रूट को मिलेगी सीधी कनेक्टिविटी,
1 week ago
उज्जैन के एस.पी ने ने किया थाने का आकस्मिक निरीक्षण।
1 week ago
किसान यूनियन ने सड़क निर्माण में भ्रष्टाचार का आरोप लगाया
યુવા સ્પેરોમેન...મહેશ મેટાળિયા... ..................................... આજના યુગમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે..અને એના લીધે વૃક્ષો પર માળો બાંધી ને નિવાસ કરતા પક્ષીઓની પ્રજાતિ પણ ધીરેધીરે લુપ્ત થતી જાય છે.કાગડા,કોયલ,મોર મોટા મોટા પક્ષીઓથી લઈને નાની ચકલીઓ પણ દેખાતી ઓછી થઈ ગઈ છે. એવામાં એક યુવા સ્પેરોમેન મહેશભાઈ હાલમાં સુરેન્દ્રનગર ખાતે ચકલી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે.અત્યારે સુધીમાં ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહાર પણ ચકલીઘર કુરિયર દ્વારા મોકલીને ચકલી બચાવવાની એક નાનકડી સેવા કરી રહ્યા છે. આવો મળીએ મહેશભાઈને શબ્દ દેહે અને તેમની ચકલી બચાવો અભિયાન સેવા વિશે માહિતગાર થઈએ એ. અતિ સામાન્ય પરિવારમાં આણંદ જિલ્લાના ના કણજરી ગામમાં ૩૦/૮/૧૯૮૬ના રોજ જન્મેલા મહેશભાઈએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી મેળવી અને ધોરણ ૬થી૧૨ નું શિક્ષણ પણ કણજરી ગામની હાઈસ્કુલ માંથી જ મેળવ્યું.આગળના અભ્યાસ માટે ગામડે થી આણંદ જેવા શહેરમાં જવું પડે,અને એના માટે આર્થિક ખર્ચ પણ વધી જાય,પરિવાર પાસે એટલી સગવડ નહોતી આથી માંથી આગળ અભ્યાસ કરવાનું માંડી વળ્યું અને નોકરી કરવી એવું વિચાર્યું.પણ માતા પિતા અને મોટા ભાઈ એ આગળ અભ્યાસ માટે શહેરમાં જવાની વ્યવસ્થા કરી આપી.આમ વલ્લભવિદ્યાનગર ની સારી કોલેજમાં અભ્યાસ માટે દાખલ થયો. અને ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ સાથે ૨૦૦૬ માં સ્નાતક નો અભ્યાસ પૂર્ણ કર્યો. વચ્ચેના ગાળામાં અમે કણજરી ગામ છોડીને સુરેન્દ્રનગર ખાતે ૨૦૦૪ માં રહેવા આવી ગયા અને પરિવારના બધા જ સભ્યો કારખાનામાં નોકરી પર લાગી ગયા.તેઓ મહેશભાઈ માટે ખૂબ જ મહેનત કરતા અને કહેતા તારે સરસ સરકારી નોકરી જ કરવાની છે.પણ અત્યારના સમય માં સરકારી નોકરી મળવી એમ થોડી સહેલી છે? અંતે ઘરના તમામ સભ્યોને સમજાવી અને ૨૦૧૧ માં ટ્રાન્સપોર્ટ કંપનીમાં ૨૮૦૦ માસિક વેતનની નોકરી માં જોડાયો. અને આખરે ૨૦૨૨માં એક સરકારી ઓફિસમાં નોકરી મળી ગઈ અને મારા પરિવારનું સપનું પૂરું થયું. હવે મહેશભાઈ સ્પેરોમેન કઈ રીતે બન્યા એના વિશે વિગતે વાત કરું...મહેશભાઈ દસમા ધોરણમાં ભણતા હતા ત્યારથી તેમને અબોલ જીવોની સેવા કરવાનો શોખ મનમાં જાગ્યો. એક વખત એવું બન્યું કે એક ચકલી તણખલા લાવીને પંખાના પાંખિયા પર મૂકે માળો બનાવવા માટે.પણ પંખો ચાલુ કરી એટલે એ તણખલાં નીચે પડી જાય.ત્યારથી તેમને ચકલીઘર બનાવવાનું મનમાં સ્ફુરણ થયું. પછી તો મહેશભાઈ પૂઠાંના બોક્સ લઈ આવે અને જરૂરિયાત મુજબ તે લગાવે અને જયારે એમાં ચકલીઓ પોતાના ઘર બનાવે ત્યારે મહેશભાઈ ખૂબ જ ખુશ થાય. એક વખત ફેસબુકમાં અમદાવાદમાં રહેતાં શ્રી જગતભાઈ કિનખાબવાલા ની પોસ્ટ જોઈ એ પણ ચકલી બચાવો અભિયાન ચલાવતા હતા, અને આખા ગુજરાતમાં સ્પેરોમેન તરીકે ઓળખાતા હતા, એમની સાથે પરિચય કેળવી મહેશભાઈએ તેમની સૂચના મુજબ આ કાર્ય આગળ ધપાવ્યું,અને પહેલા પૂઠાંના અને ત્યારબાદ પ્લાયવુડના ચકલી ઘર બનાવ્યા,અને એનો વિડિઓ સોશિયલ મીડિયામાં શેર કર્યો એનો મહેશભાઈને સારો પ્રતિસાદ મળ્યો,અને રાજકોટ,અમદાવાદ,સુરત,મુંબઈ,કોલકત્તા, ચેન્નઈ સુધી આ ચકલીઘર કુરિયર દ્વારા મોકલાવે છું. તેમના આ સેવા કાર્યની નોંધ લઈને મહેશભાઈને રાજકોટ ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીમાં ઇન્ટરવ્યુ માટે નિમંત્રિત કરવામાં આવ્યા,આ ઇન્ટરવ્યુ પૂરી ૩૦ મિનિટ સુધી ચાલ્યું,૨૦૨૩માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં મહેશભાઈ અને જગતભાઈ કિનખાબવાલા સાથે લેખ પ્રકાશિત થયો હતો, હાલ મહેશભાઈ એ તેમના ઘરે જ સ્પેરોહાઉસ બનાવ્યું છે,અને મહેશભાઈ સ્પેરોમેન તરીકે જ ઓળખાય છે,છેલ્લા ૧૦ વરસથી તેઓ આ સેવા કાર્ય કરી રહ્યા છે,હવે આ સેવા કાર્યનું ગ્રુપ બનાવ્યું છે.જેમાં રિતેશભાઈ શાહ, અભિષેક મકવાણા,નિગમભાઈ શાહ, તથા અન્ય સેવાભાવી લોકો સાથે મળીને *નિઃ સ્વાર્થ સેવા ગ્રુપ* બનાવ્યું છે. તેઓ જ્યારે ફ્રી હોય, રજા હોય ત્યારે વગડામાં જઈને જ્યાં જ્યાં માળા લગાવ્યા હોય અને પાસે ચણ નાખવા માટે પણ વ્યવસ્થા કરી હોય તે બધા ખાલી થઈ ગયા હોય તો ભરી આવે છે જેથી પક્ષીઓ ભૂખ્યા ન રહે.અત્યાર સુધીમાં ૩૦૦૦૦ (ત્રીસ હજાર) હજાર થી પણ વધુ ચકલીઘર લગાવ્યા છે આ કાર્યમાં ૨૦૨૪માં બિહારમાં એક પ્રતિયોગિતા હતી સેલ્ફી વિથ સ્પેરો એમાં ગુજરાત માં પ્રથમ નંબરે આવેલ,૨૦૨૫માં પુનાની એક સંસ્થા બર્ડ દુનિયા તેમાં મહેશભાઈને સ્પેરો સેવિયર્સ તરીકેનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.હાલમાં જ જોરાવરનગરની જાણીતી સેવા સંસ્થા *ચંદ્રભાનું સ્મૃતિ સંસ્થાન* દ્વારા પણ મહેશભાઈના સેવા કાર્ય ને બિરદાવી મલ્ટિકલર સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમને આ સેવા કાર્ય માટે નાનું મોટું ડોનેશન પણ મળે છે, અંતમાં તેમના જ શબ્દોમાં લોકો માટે જે સંદેશ આપે છે તે અક્ષરસહ અહીં પ્રસ્તુત કરું છું."આપ પણ આવું જીવદયાનું કાર્ય શરૂ કરો અને પ્રકૃતિનો ભરપૂર આનંદ માણો,આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે તો કંઈક સારું કાર્ય કરીને જઈએ સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે.તમે જો સારા કાર્ય કરો અને ખુશ રહો તો સ્વર્ગ,અને કોઈને હાની પહોંચે અને તમને દુઃખ થાય તો નર્ક.." આવા યુવાનની સેવા ભાવના ને વંદન.....
Back to top button
error: Content is protected !!